منگل، 6 فروری، 2024

શું સ્ત્રી પતિને તલાક આપી શકે છે?? સવાલ નંબર ૪૫૩

 સવાલ 

મુફતી સાહબ એક સવાલ છે શુ ઇસ્લામ મા ઓરત પોતાના શોહર ને તલાક આપી શકે છૈ? અને તલાક આપે તો કય રીત થી આપે તો શોહર થી તલાક થાય? એનો શુ હુકમ છૈ?  કીતાબ ના હવાલાથી જવાબ આલવા મેહરબાની

પ્રશ્ન પૂછનાર: તાહિર દાંત



જવાબ

શરિઅતે-મુતહરા માં પુરૂષને તલાક નો અધિકાર છે, સ્ત્રીને પુરુષની પરવાનગી વગર પોતાને તલાક આપવાનો અધિકાર આપવામાં આવ્યો નથી,

પણ અમુક પ્રસંગોએ સ્ત્રીને પરેશાન કરવામાં આવે છે, અને સાથે તલાક પણ નથી આપતા. આવી સ્થિતિમાં શરિયતે પતિને તેની પત્નીને છૂટાછેડાનો અધિકાર આપવાની છૂટ આપી છે અને જ્યારે જરૂરી હોય ત્યારે સ્ત્રીને તેનો ઉપયોગ કરવાની છૂટ આપી છે, પતિની અનોમતિ વગર પત્નીને છૂટાછેડા આપવાની મંજૂરી નથી. અને અધિકાર આપ્યા પછી, પતિનો છૂટાછેડા નો અધિકાર પણ સમાપ્ત થતો નથી, પત્નીને છૂટાછેડા લેવાના અધિકારનો ઉલ્લેખ કરવાના ત્રણ  નિયમો છે:


 1.  લગ્ન પહેલા લખાવી લેવું જોઈએ.


 2.  લગ્નના કરારમાં, તે છૂટાછેડા ના અધિકારનો ઉપચાર કરાવી લેવો જોઈએ.


 3.  લગ્ન પછી લખાવી લેવુ જોઈએ.

 

પહેલા અને બીજા નંબર માં એક એક  શર્ટ  છે.


 પહેલા નંબર માટે શરત એ છે કે તે લગ્ન સંબંધી ની કોઈ શરત હોવી જોઈએ, એટલે કે લગ્ન હોવાની શરત નો ઉલ્લેખ થાવો જોઈએ. ઉદાહરણ તરીકે, પતિ પર કોઈ અગત્યની શરતો રાખી લેવી, તે શરતો લખ્યા પછી લખાવી લેવૂ જોઈએ કે ફુલાણી સ્ત્રી સાથે મારો લગ્ન થયા પછી જો હું આ કબૂલાતમાં દર્શાવેલ શરતો માંથી કોઈપણ શરત ની વિરુદ્ધ જાઉં, તો મારી પત્નીને તે સમયે અથવા અન્ય કોઈપણ સમયે પોતેજ પોતાને તલાક આપી છૂટાછેડા મેળવીને લગન ને ખતમ કરવાનો હક ધરાવવાનો અધિકાર રહેશે. જો આ શરતમાં લગ્નનો ઉચ્ચાર ન હોય તો આ લખાણ અસરકારક રહેશે નહીં.


બીજી શરત મા, એટલે કે, ઇજાબ અને કુબુલ માં, પહેલા આ શરતોનો ભાષામાં ઉલ્લેખ કરવો જોઈએ. અને તે યોગ્ય અને માન્ય હોવા માટે, તે શરત છે કે ઇજાબ સ્ત્રી તરફથી હોવુ જોઈએ, એટલે કે, પ્રથમ ,સ્ત્રી પોતે અથવા તેણીના વાલીએ લગ્ન કરાર સમયે આ કહેવું જોઈએ કે મેં તમને આ શરતો સાથે આ દીકરીના લગ્ન કર્યા છે કે જો તમે આ અથવા તે કરો (લખેલી બધી શરતો માંથી) તો સ્ત્રી જાતેજ પોતાના ઉપર તલાક આપવાનો અધિકાર ધરાવશે. અને તેજ સમયે અથવા અન્ય કોઈપણ સમયે, જો સ્ત્રી ની ઈચ્છા હશે તો, તે તલાક આપીને આ લગ્નથી તેણી જાતને અલગ કરી શકે છે.


આના જવાબમાં, લગ્ન કરનાર વ્યક્તિએ આરીતે કહેવાનું રહશે: હું સ્વીકારું છું, પછી સ્ત્રીને આ પતિના લગ્નને તલાક-એ-બાઈન આપીને છોડી દેવાનો અધિકાર રહશે જ્યારે પતિ લખેલી શરતોના વિરુદ્ધ જશે, પછી સ્ત્રી આ રીતના શબ્દો ઉપચારીને લગ્નથી તેણી જાતને અલગ કરી શકે છે હું પોતાની જાત પર તલાક વાકે કરો છું. અધિકાર મળવા પછી આ રીતના શબ્દો ઉપચારશે તો તે તેના લગ્નથી અલગ થઈ જશે (અલ હીલતૂન નાજીઝા  પૃષ્ઠ 38 થી 42: મકતબા રજી દેવબંદ)


فتاوی شامی

قوله لم يكن له الأمر إلخ ذكر الشارح في آخر باب الأمر باليد نكحها على أن أمرها بيدها صح. اهـ. لكن ذكر في البحر هناك: أن هذا لو ابتدأت المرأة، فقالت: زوجت نفسي على أن أمري بيدي أطلق نفسي كلما أريد أو على أني طالق فقال: قبلت وقع الطلاق وصار الأمر بيدها، أما لو بدأ هو لاتطلق ولايصير الأمر بيدها. اهـ ۔ (الدر المختار وحاشية ابن عابدين ٣/٢٧)


ઉત્તર આપનાર

મુફ્તી આસીફ બિન મોહમ્મદ ગોધરવી

کوئی تبصرے نہیں: