સવાલ
મોહતરમ જનાબ મુક્તિ સાહેબ
ગોધરા શહેરની એક મસ્જિદમાં વર્ષ 2020 માં એક દુલ્હન ના નીકાહ પઢાવી નિકાહ ના રજીસ્ટર માં નોંધણી કરવામાં આવી જે તે સમયે દુલ્હન ની ઉંમર 16 વર્ષ હતી પરંતુ મેરેજ સર્ટિ અને સરકાર અને શ્રીની યોજના કૂવારબાયના મોમેરાની સહાય લેવા18 વર્ષ સેટિંગ કરીને તારીખમાં ફેરફાર કરીને વર્ષ 2022 નો નિકાહ ના દાખલાની માંગણી કરી છે તો શું આ રીતે તારીખમાં ફેરફાર કરીને નિકાહનું પ્રમાણપત્ર આપવું શરિયતમાં ગુંજાઈ છે?
શરિયતની રોશનીમાં ગુંજાઈશ હોય તો ભવિષ્યમાં સરકાર તરફથી તપાસ આવે તો નિકાહનો દાખલો લખી આપનાર નો શુંં હૂકમ છે?
અરજદાર
અનવર હુસેન મો. હનીફ ગેણી
ગેણી પ્લોટ ગોધરા
જવાબ
જ્યારે પણ કોઈ માણસ કંઈ બોલે છે, અલ્લાહના ફરિશ્તાઓ તેને નોંધતા રહે છે, તો આ રેકોર્ડ મુજબ તેને કયામતના દિવસે અલ્લાહની સામે સજા આપવામાં આવશે. અલ્લાહ સર્વ શક્તિમાન નો આદેશ છે: “مَا يَلْفِظُ مِنْ قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيْبٌ عَتِيْدٌ” (સૂરા કાફ:18)
પૂછેલી વિગતમાં, આ રીતે ખોટી તારીખ લખીને લગ્નનું પ્રમાણપત્ર આપવૂ તે શરીયત મુજબ દૂરૂસ્ત નથી તેમાં તમારે જાતે પણ જૂઠું બોલવું પડશે અને જૂઠું બોલવા પર મદદ રૂપ પણ થશો તેથી આ રીતે ખોટી તારીખ લખીને લગ્નનું પ્રમાણપત્ર આપવું કુરાનની આયત (ولا تعاونوا بالإثم والعدوان) અને (فَنَجْعَلْ لَّعْنَۃَ اللہِ عَلَی الْکَاذِبِيْنَ) મુજબ યોગ્ય નથી. અને ફિકહી કાયદામાં ફાઈદો હાસિલ કરવા માટે જૂઠ બોલવું જાઈજ નથી તેથી લખી આપનાર ને ક્યારેય એવું કોઈ પગલું ન લેવું જોઈએ જેનાથી બરાબર ગુનાહ નૂ કારણ બને.
કારણ કે લખી લેનાર ભવિષ્ય માં જ્યારે પણ તેનું લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરશે, ત્યારે તેણે જૂઠું બોલવું પડશે અને તમે તેનું કારણ બનશો, આમ તે બરાબર ગુનાહ નૂ કારણ થશે.
અને જો સરકાર તેની તપાસ કરે તો પણ સાચું બોલવું જરૂરી છે, જૂઠું બોલવું જાઇજ નથી.
લખી આપનાર: મુફ્તી આસીફ બિન મોહમ્મદ ગોધરવી
તસદીક કરી આપનાર: હઝરત મુફ્તી નિસાર સાહબ કલા ગોધરવી
کوئی تبصرے نہیں:
ایک تبصرہ شائع کریں